Discussion Forum SMC

Discussion Forum SMC

01-12-2014 : શાળા નિયમિત રીતે ચાલે છે કે નહી તે બાબતનું ધ્યાન રાખવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?



તારણ:

  • સોમવારથી શુક્રવાર દરરોજ આઠ કલાક અને શનિવારે પાંચ કલાક શાળા ચાલુ રહે છે કે નહી.
  • બધાજ શિક્ષકો શાળામાં નિયમિત આવે છે કે નહી.
  • શાળામાં બાળકો પ્રત્યે કોઇપણ પ્રકારનો ભેદભાવ ન થાય તે બાબત ધ્યાનમાં લેવી.
  • ધોરણ ૧ થી ૫માં દરરોજ ચાર કલાક અને ધોરણ ૬ થી ૮માં દરરોજ પાંચ કલાક નિયમિત રીતે વર્ગકાર્ય થાય છે કે નહી.
  • બાકીના સમયમાં શિક્ષક ભણાવવા અંગેની તૈયારી કરે છે કે નહી.
  • શાળાના બાંધકામ અને રીપેરીંગ સબંધી બાબતો ધ્યાનમાં લેવી.
  • શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો અસરકારક અમલ થાય છે કે નહી વગેરે.