Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-01-2017 : પ્રશ્ન:- વિદ્યાર્થીઓમાં મૌખિક અભિવ્યક્તિ કેળવાય અને જાહેરમાં બોલવાનો ડર દૂર થાય તે માટે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ૨૦૦ શિક્ષક કે જેમણે જવાબ આપ્યો છે તેમાંથી ૧૮૦ શિક્ષક દ્વારા શાળામાં થતી પ્રાર્થના સભામાં બાળકો સુવિચાર, સ્વરચિત કાવ્ય તથા ગીત ગાન, મૌખિક વાર્તા, અંતાક્ષરી, નાટક, ભજન, ધૂન, લોકગીત, મને શું ગમે છે, મને ગમતો તહેવાર, મને ગમતું સીટી, મને ગમતો વિષય, ઘડિયા, સમાચાર વાંચન, વ્યક્તિ વિશેષ વિષે બોલવું, જાણવા-જેવું, અભ્યાસક્રમના તેમજ અભ્યાસક્રમ બહારના મુંજવતા પ્રશ્નો, મૌખિક નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, અંગ્રેજીના સ્પેલિંગ, શીઘ્રવકૃત્વ સ્પર્ધા વગેરે રજુ કરતા હોય છે, આ પ્રાર્થનાસભામાં દરેક બાળકને સરખું મહત્વ મળે તે હેતુથી વર્ગખંડ મુજબ હાજરીપત્રકના નંબર પ્રમાણે વાર આપવામાં આવે છે. જેથી બાળકને સમુહમાં બોલવાનો ડર દૂર થાય છે.
  • ઘણી શાળાઓમાં અઠવાડિયાના કોઈ એક દિવસે બાલસભાનું આયોજન થતું હોય છે. આ બાલસભામાં “એક મિનીટ જરા મને સાંભળો, રમત રમાડી ને...” , વાંચન કોર્નર/પુસ્તક પરિચય , બાલકવિ, મારા મનની મુંજવણ, આજનું નાટક, વગેરે થીમ પર બાળકોનો બાળકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાય છે જેની ટૂંકમાં વિગત નીચે મુજબ છે. -“એક મિનીટ જરા મને સાંભળો, રમત રમાડી ને...” –જુદા જુદા વિષય વસ્તુશબ્દોની ચિઠ્ઠી બનાવીને સંગીત ચાલુ થાય એટલે એક પછી એક બાળકના હાથમાં આપવાની સંગીત બંધ થતાની સાથે જે બાળકના હાથમાં ચિઠ્ઠી આવે તેને આ શબ્દ વિષે ઓછામાં ઓછા ૫ અર્થપૂર્ણ વાક્યો ૧ મીનીટમાં બોલવાના. - વાંચન કોર્નર / પુસ્તક પરિચય-બાળકને શાળાની લાયબ્રેરી તથા અન્ય પુસ્તકમાંથી જે પુસ્તક ગમતું હોય તેના વિષે અભિપ્રાય તથા પુસ્તકનો સારાંશ કહેવાનો. -બાલકવિ-બાળક દ્વારા સ્વરચિત કાવ્ય અથવા ગીત અઠવાડિયા દરમિયાન રજુ કરવાનું અઠવાડિયાના અંતે જે કાવ્ય અથવા ગીત સારું હોય તેમને પેન-પેન્સિલ-રબર આપીને પ્રોત્સાહિત કરવા. -મારા મનની મુંજવણ- બાળકો પોતાનો પ્રશ્ન સમુહમાં રજુ કરે છે અને બાળકો તથા શિક્ષક તેનો યોગ્ય ઉત્તર આપે છે. -આજનું નાટક- બાળકોને ગમતું નાટક જે અભ્યાસક્રમમાં આવતું હોય તથા અભ્યાસક્રમ બહારનું હોય તે રજુ કરવામાં આવે છે. (ઉપાધ્યાય છાયાબેન-આણંદ-૯૯૨૫૩૩૯૨૮૧,પટેલ રજનીકાંતભાઈ-બનાસકાંઠા-૯૪૨૭૩૧૪૮૮૩, સુયાટ્રિયા નિધીબેન-અમરેલી-૯૯૯૮૬૧૧૭૬૪, કણજીયા રેખાબેન-આણંદ-૯૯૧૩૦૪૧૫૫૫, રાઠોડ દિનેશભાઈ-વઢવાણ-૯૮૭૯૮૬૦૬૦૧, સુથાર મેહુલ-મહેસાણા-૯૭૨૪૬૪૧૦૯૦, મકવાણા પ્રવીણભાઈ-મહુવા-૯૪૨૭૮૫૭૮૪૭, દવે મિલનભાઈ-મહેસાણા-૯૮૯૮૫૭૪૨૯૫, ચૌધરી હરેશભાઈ-સાબરકાંઠા-૯૮૯૮૩૬૫૯૫, ભાવસાર ચિરાગભાઈ-આણંદ-૯૮૨૪૯૭૧૮૩૪, અજીતભાઈ એસ.ચાવડા-સુરેન્દ્રનગર- ૯૮૨૫૪૨૪૬૬૧)
  • ઘણી શાળાઓમાં અઠવાડિયાના કોઈ એક દિવસે બાલસભાનું આયોજન થતું હોય છે. આ બાલસભામાં “એક મિનીટ જરા મને સાંભળો, રમત રમાડી ને...” , વાંચન કોર્નર/પુસ્તક પરિચય , બાલકવિ, મારા મનની મુંજવણ, આજનું નાટક, વગેરે થીમ પર બાળકોનો બાળકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાય છે જેની ટૂંકમાં વિગત નીચે મુજબ છે. -“એક મિનીટ જરા મને સાંભળો, રમત રમાડી ને...” –જુદા જુદા વિષય વસ્તુશબ્દોની ચિઠ્ઠી બનાવીને સંગીત ચાલુ થાય એટલે એક પછી એક બાળકના હાથમાં આપવાની સંગીત બંધ થતાની સાથે જે બાળકના હાથમાં ચિઠ્ઠી આવે તેને આ શબ્દ વિષે ઓછામાં ઓછા ૫ અર્થપૂર્ણ વાક્યો ૧ મીનીટમાં બોલવાના. - વાંચન કોર્નર / પુસ્તક પરિચય-બાળકને શાળાની લાયબ્રેરી તથા અન્ય પુસ્તકમાંથી જે પુસ્તક ગમતું હોય તેના વિષે અભિપ્રાય તથા પુસ્તકનો સારાંશ કહેવાનો. -બાલકવિ-બાળક દ્વારા સ્વરચિત કાવ્ય અથવા ગીત અઠવાડિયા દરમિયાન રજુ કરવાનું અઠવાડિયાના અંતે જે કાવ્ય અથવા ગીત સારું હોય તેમને પેન-પેન્સિલ-રબર આપીને પ્રોત્સાહિત કરવા. -મારા મનની મુંજવણ- બાળકો પોતાનો પ્રશ્ન સમુહમાં રજુ કરે છે અને બાળકો તથા શિક્ષક તેનો યોગ્ય ઉત્તર આપે છે. -આજનું નાટક- બાળકોને ગમતું નાટક જે અભ્યાસક્રમમાં આવતું હોય તથા અભ્યાસક્રમ બહારનું હોય તે રજુ કરવામાં આવે છે. (ઉપાધ્યાય છાયાબેન-આણંદ-૯૯૨૫૩૩૯૨૮૧,પટેલ રજનીકાંતભાઈ-બનાસકાંઠા-૯૪૨૭૩૧૪૮૮૩, સુયાટ્રિયા નિધીબેન-અમરેલી-૯૯૯૮૬૧૧૭૬૪, કણજીયા રેખાબેન-આણંદ-૯૯૧૩૦૪૧૫૫૫, રાઠોડ દિનેશભાઈ-વઢવાણ-૯૮૭૯૮૬૦૬૦૧, સુથાર મેહુલ-મહેસાણા-૯૭૨૪૬૪૧૦૯૦, મકવાણા પ્રવીણભાઈ-મહુવા-૯૪૨૭૮૫૭૮૪૭, દવે મિલનભાઈ-મહેસાણા-૯૮૯૮૫૭૪૨૯૫, ચૌધરી હરેશભાઈ-સાબરકાંઠા-૯૮૯૮૩૬૫૯૫, ભાવસાર ચિરાગભાઈ-આણંદ-૯૮૨૪૯૭૧૮૩૪, અજીતભાઈ એસ.ચાવડા-સુરેન્દ્રનગર- ૯૮૨૫૪૨૪૬૬૧)
  • “મારું વક્તવ્ય” અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકોને ઓચીંતા જ પ્રાર્થનાસભામાં મારું વક્તવ્ય આપવા માટે કહેવામાં આવે છે, વક્તવ્ય પણ શેના પર? વક્તવ્ય ના વિષય માટે નોટીસબોર્ડ પત્ર ૧૦૦ વિષય લખવામાં આવ્યા છે તેમાંથી બાળક કોઈ પણ એક વિષય પસંદ કરે છે અને પોતાનું વક્તવ્ય આપે છે.(સુથાર મનોજભાઈ-બનાસકાંઠા-૯૭૨૩૦૮૬૫૭૨)
  • બાળકોમાં સ્ટેજ તેમજ માઈક પ્રત્યેનો ડર દુર કરીને પોતાની મૌખિક અભિવ્યક્તિ કેળવાય તે હેતુથી શાળાના નાના કાર્યક્રમોમાં બાળકોને સંચાલન સોપવામાં આવે છે.(વાળા જગદીશભાઈ-ભાવનગર, પટેલ આયેશાબેન-અમદાવાદ-૮૧૪૦૯૫૭૩૨૭, મકવાણા ભરતભાઈ-કચ્છ-૯૪૨૮૯૬૫૯૮૬ )